સ્ટેશન રોડ, ભાવનગર - ૩૬૪૦૦૧
આપણા સૌનો અનુભવ છે કે કોઈ નિશ્ચિત કાર્ય માટે યોગ્ય સમય અને નિયત સ્થળ જરૂરી હોય છે.
જેમ કે જ્ઞાન પ્રાપ્તિ માટે ચોક્કસ સમયે શાળાએ પહોચવું પડે.બીમારીના સમયે દવાખાને જવું પડે.
અન્ય સ્થળે જવા માટે યોગ્ય સમયે બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન જવું પડે. બસ એમ જ રોજિંદા જીવનના સંઘર્ષો, પડકારો અને સમસ્યાઓ સામે ઝઝૂમવાની શક્તિ પ્રાપ્ત કરવા નિયત સમયે નિશ્ચિત ધર્મસ્થાને પ્રાર્થના કરવી જરૂરી છે.
આપણાં ધર્મસ્થાનો આપણી આધ્યાત્મિક શક્તિને પ્રબળ અને સબળ બનાવે છે, આપણા જીવનની બેટરીને રિચાર્જ કરે છે.
આપણા ભાવનગરમાં અનેરાં એવા ઘણાં શક્તિઘરો આવેલાં છે.
એમાંનું એક એટલે શહેરની મધ્યમાં, રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભક્તિ અને શક્તિનું સ્થાન એવું “મા નું ધામ“, શ્રી વડવાળા મોટા અંબાજી મંદિર.
8866306200
શ્રી વડવાળા મોટા અંબાજી મંદિર,
સ્ટેશન રોડ, ભાવનગર – ૩૬૪૦૦૧